રાજકોટ
News of Tuesday, 13th February 2018

ભાંગની પ્રસાદીનું વિતરણ

 ભગવાન શિવશંભુને ભાંગ પ્રિય હતી. એટલે મહાશિવરાત્રીના દિવસે ભકતો ભાંગની પ્રસાદ લઇ ધન્યતા અનુભવતા હોય છે. પંચનાથ મહાદેવ મંદિરે આજે બપોરે વિશેષ આરતી થઇ હતી. તેમજ તમામ દર્શનાર્થીઓ માટે સ્વ. અશોકભાઇ ગોરધનભાઇ બોદર પરિવાર હ. સુભાષભાઇ બોદર દ્વારા ભાંગની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે નવી નિર્માણ પામતી હોસ્પીટલ માટે પણ અનુદાન જાહેર કરવામાં આવ્યુ હતુ. તસ્વીરમાં પંચનાથ મહાદેવ મંદિરે ભાંગની પ્રસાદીનો લ્હાવો લેતા ભાવિકજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)