રાજકોટ
News of Tuesday, 13th February 2018

રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિ દ્વારા રવિવારે ૧૩મા સમૂહલગ્નોત્સવ

૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : કરીયાવરમાં ૧૫૦ વસ્તુઓ અપાશે

રાજકોટ, તા. ૧૩ : શ્રી રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિ દ્વારા આગામી તા.૧૮ના રવિવારના રોજ ૧૩માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૬ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે.

અમૃત ફાર્મ (પાર્ટી પ્લોટ), ૫૦ ફૂટનો રોડ, ડીમાર્ટવાળી શેરી, કુવાડવા રોડ ખાતે આયોજીત આ સમૂહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં પલંગ, કબાટ, રસોડાની તમામ સહિત ૧૫૦થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે મો.૯૧૦૬૮ ૬૧૦૬૨ / ૯૨૨૮૩ ૪૦૮૪૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

આયોજનને સફળ બનાવવા જ્ઞાતિના આગેવાનો સર્વેશ્રી હિંમતલાલ ચૌહાણ, વિનોદભાઈ મકવાણા, વિનોદકુમાર પીઠડીયા, દુર્લભજીભાઈ વાઘેલા, જશવંતભાઈ જાખરીયા, યોગેશભાઈ પીઠડીયા, હરીશભાઈ જંગબારી, રજનીકાંત સાંચલા, કિશોરભાઈ જાદવ, ભરતભાઈ સોલંકી, ડો. નિલેશભાઈ ગોહેલ, હિતેષભાઈ પીઠડીયા, નિલેશભાઈ જાખરીયા, નીતિનભાઈ પટેલ, મુકેશભાઈ ગોહેલ, નટુભાઈ પીઠડીયા, રવિકુમાર ચૌહાણ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)