પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ બે શખ્સોને પાસામાં ધકેલ્યા
રાત્રીના સમયે બંધ મકાનમાં ચોરી કરવાની ટેવ ધરાવતાં મુળ નેપાળના હાલ કાલાવડ રોડ જીવરાજાની શો રૂમ પાછળ મિનાક્ષી એપાર્ટમેન્ટમાં ચોકીદારના રૂમમાં રહેતાં ભીમ ઉર્ફ રોશન દિલબહાદુર ખડકબહાદુર ભારતી (ઉ.૨૮)ને તથા મારામારીના ગુનામાં સંડોવાઇ ચુકેલા ભોમેશ્વર જાગૃતિ શ્રમજીવી સોસાયટી-૬/૧૨ના સમીર મુનાફભાઇ જુણેજા (ઉ.૨૨)ને પાસા તળે વડોદરા અને સુરત જેલમાં ધકેલવા હુકમ થતાં યુનિવર્સિટીના પીઆઇ આર. વાય. રાવલ, જે. પી. મેવાડા, ગિરીરાજસિંહ જાડેજા, પ્રદિપભાઇ, એ-ડિવીઝનના પીઆઇ એન. કે. જાડેજા, રામગરભાઇ ગોસાઇ, વિજયસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ, પીસીબીના પીઆઇ એમ. ડી. ચંદ્રવાડીયા, વી. જે. જાડેજા, શૈલેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી, રાજુભાઇ દહેકવાડ સહિતે આ કામગીરી કરી હતી.