News of Saturday, 13th January 2018
ઓચિંતો પાણી કાપ ઝીંકાયોઃ કોઠારીયા-વાવડી ૩ દિવસ તરસ્યા રહેશે
રાજકોટ : પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા પાઇપ લાઇન (હડાળા સેકશન)માં રીપેરીંગ માટે તા.૧૯ થી રાજકોટ તરફ પાણી પમ્પીંગ બંધ કરાશેઃ નર્મદા નીર નહિ મળવાના કારણે કોઠારીયા અને વાવડી વિસ્તારના વોર્ડ નં.૧૮ અને ૧રમાં આવતા તિરૂપતિનગર, કોઠારીયા ગામ, સ્વાતી સોસાયટી, નારાયણનગર, શકિતનગર, રસુલપરા, ગૌતમબુધ્ધ નગર અને વાવડી ગામ (આંગન સીટી) સહિતના વિસ્તારોને તા.૧૬ થી તા.૧૯ જાન્યુ. સુધી પાણી વિતરણ નહી થાયઃ વોટર વર્કસ વિભાગના ડેપ્યુટી ઇજનેરની સત્તાવાર જાહેરાત
(4:07 pm IST)