રૈયાધાર ઇન્દીરાનગરમાં સામુ જોવા બાબતે કાંતીભાઇ ચાવડા પર હુમલો
અનીલ પરમાર અને મુકેશ ચાવડાની ધરપકડ : શાપર પરમાર, હીરા પરમાર, અને અતી પરમારની શોધખોળ
રાજકોટ તા ૧૨ : શહેરના રૈયાધાર ઇન્દિરાનગરમાં સામુ જોવા બાબતે વણકર યુવાનને પાંચ શસોએ પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર ઇન્દીરાનગર શેરી નં.૫ માં રહેતા કાંતીભાઇ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.૪૨) ગઇકાલે પોતાના ઘર પાસે આવેલ રાધીકા પાન નામની દુકાન પાસે હતા, ત્યારે અનીલ પરમાર તેની સામે જોઇ આંખો કાઢતો હોઇ, તેથી કાંતીભાઇ તેને સમજાવવા જતા જે સારૂ ન લાગતા અનીલ પરમાર, શાપર પરમાર, મુકેશ ચાવડા તથા બે મહીલા હિરા પરમાર અને અંતી પરમારે ગાળો અપી ઉશ્કેરાઇ જઇ પ્લાસ્ટીકના પાઇપ વડે માર માર્યો હતો. દેકારો બોલતા કાંતીભાઇના પરિવારજનો વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બી.આર. ભરવાડે કાંતીભાઇની ફરિયાદ દાખલ કરી અનીલ પરમાર અને મુકેશ ચાવડાની અટકાયત કરી અન્યની શોધખોળ આદરી છે.