રાજકોટ
News of Tuesday, 12th November 2019

જીવનમાં છોડવા જેવા અવર્ણવાદ, કરવા જેવા ગુણાનુવાદ અને લેવા જેવા આર્શીવાદઃ પૂ.ધીરજમુનિ

મુંબઈમાં સમુહ ચાતુર્માસ પરિવર્તન સમારોહ યોજાયો

રાજકોટ,તા.૧૨: ઘાટકોપર ખાતે સ્કાયલાઈમ ઓએસીસ ટાવરના પટાંગણે શ્રીમતી મનીષા બાવીસી પ્રેરિત સમૂહ ચાતુર્માસ પરિવર્તન સમારોહમાં મોટા સંઘ, ગરોડીયાનગર, રાજાવાડી, પંતનગર, કામાગલીક્ષી પધારેલા પૂ.શ્રી ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ.કૃપાબાઈ મ.સ., પૂ.ઉર્મિ- ઉર્મિલાજી મ.સ., પૂ.ભારતીજી મ.સ., પૂ.નયનાજી મ.સ. અને પૂ.સ્વાતીજી મ.સ.નું સ્વાગત બાવીસી પરિવારવતી હસમુખભાઈ ટીંબડીયાએ કરેલ.

સંઘના પદાધિકારીઓએ બાવીસી પરિવારના મનીષાભાઈ, ડો.અજુંબેન વગેરેનું સન્માન કરેલ. દીક્ષાર્થી પલકબેન દોશીનું પ્રિયાંશી, ભવ્ય બાવીસી, જયસુખભાઈ જસાણીએ બહુમાન કરેલ. લલિત સંગીત મંડળે ગીત પ્રસ્તુત કરેલ.

પૂ.ગુરૂદેવ તા.૨૨ના કમલેશ કેટરર્સ, ઓઘડભાઈ લેન ખાતેથી નવકારશી બાદ દીક્ષા પ્રસંગે પધારશે અને તા.૨૬ના સમૂહ ૧૦૦૮ આયંબિલનું આયોજન હિંગવાલા ઉપાશ્રયે યોજાશે.

ગુરૂદેવે જણાવેલ કે જીવનમાં છોડવા જેવા અવર્ણવાદ, કરવા જેવા ગુણાનુવાદ અને લેવા જેવા આર્શીવાદ છે.

(3:37 pm IST)