રાજકોટ
News of Tuesday, 12th October 2021

સરગમના ગરબા મહોત્સવઃ કલેકટર અરૂણ મહેશબાબુ અને નિતિન ભારદ્વાજના હસ્તે આરતી

રાજકોટઃ સરગમ કલબ દ્વારા રાજ્ય સરકારે આપેલી મંજૂરી ને આધીન રહીને પ્રતીક નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. પાંચમા નોરતે શ્રી અરૂણ મહેશબાબુ (કલેકટર) અને નીતિનભાઈ ભારદ્વાજ હસ્તે માતાજીની આરતી દ્વારા કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે શ્રી હેલીબેન ત્રિવેદી, કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન સેજપાલ, આશાબેન શાહ, રેણુકાબેન યાજ્ઞિક, વંદનાબેન ભારદ્રાજ  ઉપસ્થિત રહેલ.  માત્ર બહેનો માટે યોજાયેલા રાસોત્સવમાં વેલ ડ્રેસ અને શ્રેષ્ઠ પરફોર્મન્સ અને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. વેલડ્રેસનું ઇનામ વંદનાબેન ડેલાવાળા, શ્રેષ્ઠ પરફોર્મન્સનું ઇનામ ગીતાબેન હિરાણી, બીનાબેન અનડકટને મળ્યું હતું.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ,મૌલેશભાઈ પટેલ, કિરીટભાઈ આડેસરા, કૌશિકભાઈ વ્યાસ, રમેશભાઈ અકબરી, ધીરુભાઈ હીરાણી, દીપકભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શેઠ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, મધુરિકાબેન જાડેજા, વૈશાલીબેન શાહ, જાગૃતિબેન આસોડિયાનો સહયોગ મળ્યો હતો.

(3:25 pm IST)