રાજકોટ
News of Tuesday, 12th October 2021

સિવિલ હોસ્પિટલમાં પ્રોઢનું મોતઃ પ્ર.નગર પોલીસને વાલીની તલાશ

કેસમાં મહમદઆમીર રહે. જોધપુર રાજસ્થાન લખાવ્યું હતું

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં તા. ૮/૧૦ના રોજ શ્વાસની તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે દાખલ એક પ્રોૈઢ વયના દર્દી સારવાર માટે દાખલ થયેલ. જેણે કેસમાં પોતાનું નામ મહમદઆમીર રસુલખાન અને ઉમર ૫૩ વર્ષ લખાવ્યા હતાં.  તેમજ પોતે રાજસ્થાન જોધપુરના વતની હોવાનું કહ્યું હતું. તેને સારવાર માટે વોર્ડ નં. ૧૦માં દાખલ કરવામાં આવેલ. ગઇકાલે ૧૧મીએ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:07 pm IST)