બેંક મિત્રના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર
રાજકોટઃ એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા રાજકોટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ આરસેટી ખાતે ઉજવવામાં આવ્યો હતો. તેમાં બેંક મિત્રના તાલીમાર્થીને IIBF પ્રમાણપત્ર વિતરણ, બ્યુટીપાર્લર તાલીમનું ઉદ્ઘાટન અને મધમાખી ઉછેરની તાલીમનું પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જીલ્લાના ડીડીઓ શ્રી દેવ ચૌધરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.કે. પટેલ, એસબીઆઈ લીડ બેંક મેનેજર કે.બિસ્વાલ, આરસેટી નિયામક આર.એસ.રાઠોડ, મિશન મંગલમના જીલ્લા લાઈવલીવૂડ મેનેજર વી.બી. બાસિયા અને આરસેટી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો. એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ૬૦થી પણ વધારે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૧- ૨૫૬૩૩૮૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.