રાજકોટ
News of Friday, 12th October 2018

અરવિંદભાઇ મણીયારનગરમાં ખેતલીયા આપા ગ્રુપ દ્વારા ૨૫૧ ગરબી મંડળની બાળાઓને ભોજન

રાજકોટ તા. ૧૨ : અરવિંદભાઇ મણીયારનગર, કોઠારીયા રોડ, બ્લોક નં. એ-૧ થી ૨૦૦ ના જયશ્રી ખેતલીયા હનુમાનજી ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા દર વર્ષે બીજા નોરતે શહેરની ૨૫૧ ગરબી મંડળની બાળાઓને તેમજ ૨૦૦ બ્લોકના રહેવાસીઓને કોઇપણ જાતનો ફાળો લીધા વગર ભોજન કરાવવામાં આવે છે. એજ રીતે શ્વાનોને ૧૧ મણ ચુરમાના લાડુ વિવિધ વિસ્તારોમાં ફરીને આપવામાં આવે છે. આ વર્ષે પણ આ સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. રણુજાના મહંતશ્રી બજરંગદાસ શાસ્ત્રીજીએ ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવ્યા હતા. તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.

(3:24 pm IST)