વનીતાબેનને રાજયપાલ એવોર્ર્ડ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલીત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નં.૯૩નાં આચાર્ય વનિતાબેન રાઠોડને શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક -૨૦૨૦ ગાંધીનગર ખાતે શિક્ષક દિનનાં દિવસે રાજયપાલ શ્રી દેવવ્રત આચાર્યના હસ્તે એનાયત કરવામાં આવ્યો. ગાંધીનગર ખાતે પ્રેક્ષા વિશ્વભારતી ખાતે સચિવ નૂતનબેન રાવલ હસ્તે પુસ્તક દ્વારા વનિતાબેન રાઠોડનું સન્માન કરવામાં આવ્યું તથા ગાંધીનગર નર્મદા હાલ ખાતે માનનીય રાજયપાલ હસ્તે વનિતાબેન રાઠોડને રાજયનાં શ્રેષ્ઠ એચ.ટાટ. આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ, ચુડાસમા, વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ, અંજુ શર્મા મેડમ, ટી.એસ.જોશી સાહેબ એમ.એસ.જોશી સાહેબ હાજર રહ્યા હતા.