રાજકોટ
News of Thursday, 12th September 2019

રાજકોટ શહેર-જીલ્લાના આઠ સરકારી વકીલો સહિત રાજયમાં કુલ ૮૩ની બદલી

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ શહેર, જીલ્લાના કુલ આઠ સરકારી વકીલોની બદલી કરવામાં આવી છે.

બદલીના આ હુકમમાં, જેમાં ગુજરાતમાં કાયમી સરકારી વકીલ તરીકે ફરજ બજાવતાં કુલ ૮૩ સરકારી વકીલોની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ ખાતે ફરજ બજાવતા બી. બી. રાઠોડની તાલાલા ખાતે બદલી કરાઇ છે.

આ ઉપરાંત રાજકોટની જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરજ બજાવતાં ચંદ્રેશ પી. ત્રિવેદીને ગાંધીનગર ખાતે તેમજ શિલ્પાબેન ખલીવાલાની ગાંધીનગર તાબેના કલોલ ખાતે અને દેવેન્દ્ર ત્રિવેદીની કચ્છના અંજાર ખાતે  બદલી કરવામાં આવી છે.

જામકંડોરણા ખાતે ફરજ બજાવતા કલ્પના આર. પટેલની નવસારીના ગણદેવી ખાતે ધોરાજીના ધરા કેશવલાલ ત્રિવેદીની રાજકોટમાં લોધીકાના નિલેષકુમાર બગથરીયાની વિંછીયા ખાતે અને જસદણના મોહમદ સોલંકીની રાજકોટ રેલ્વે કોર્ટમાં  બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતાં બળદેવભાઇ રાવલની રાજકોટ ખાતે તેમજ લીંબડીના રોનક હરડેની પણ રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.ઉપરોકત તમામ સરકારી વકીલોની કાયદા વિભાગ દ્વારા બદલી કરીને બદલીની જગ્યાએ ચાર્જ સંભાળવા હાજર થવા જણાવાયું છે.

(3:45 pm IST)