રાજકોટ
News of Thursday, 12th September 2019

'ગણપતિ બાપા મોરીયા...' ના નારા સાથે મુર્તિ વિસર્જન : ગણેશ મહોત્સવનું સમાપન

રાજકોટ : છેલ્લા અગીયાર દિવસથી રાજકોટ ગણેશજીની ભકિતમાં લીન બન્યુ હતુ. આજે ગણેશ મહોત્સવનું સમાપન થતા ચોકે ચોકે અને ઘરે ઘરે સ્થાપન કરાયેલ ગણપતિ દાદાની મુર્તિની વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજવમાં આવી હતી. 'ગણપતિ બાપા મોરીયા' ના નાદથી માર્ગો ગુંજી ઉઠયા હતા. પાણીમાં મુર્તિના વિસર્જન વખતે ભાવિકોની આંખો પણ ભીની બની ગઇ હતી. તંત્રવાહકો દ્વારા નકકી કરવામાં આવેલ વિસર્જન સ્થળોએ ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી હતી. ખાણ જેવા ઉંડા પાણીમાં મોટી મુર્તિઓને પધરાવવા ક્રેઇન તેમજ ફાયર બ્રીગેડના જવાનોને તૈનાત કરાયા હતા. વિવિધ સ્થળોએ થયેલ મુર્તિ વિસર્જન સમયની તસ્વીરો અહીં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:33 pm IST)