રાજકોટ
News of Wednesday, 11th September 2019

રાજકોટમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક સામે ઝુંબેશ શરૂ કરાશેઃ અગ્રવાલ

સ્વચ્છતા એજ સેવા રાષ્ટ્રીય અભિયાન શરૂ કરતા નરેન્દ્રભાઈ મોદીઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક નહિ ઉપયોગમાં લેવા જનજાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરાશેઃ મ્યુ.કમિશ્નર

રાજકોટ,તા.૧૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્ત્।ે આગામી તા.૨-ઓકટોબર, ૨૦૧૯ સુધીમાં સમગ્ર દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુકત કરવા કેન્દ્ર સરકારશ્રી દ્વારા આજથી રાષ્ટ્રીય અભિયાન શ્નસ્વચ્છતા એજ સેવાનો શુભારંભ કરવામાં આવેલ છે. સાથોસાથ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ માટે પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા તથા પ્લાસ્ટીકના કચરાના યોગ્ય નિકાલ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર વ્યાપી જાગૃતિ લાવવા માટે નાગરિકોના વિશાળ લોક ઝુંબેશ તા.૧૧ સપ્ટેમ્બર થી તા.૨૭ ઓકટોબર દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે. પર્યાવરણ માટે અત્યંત આશીર્વાદરૂપ એવા આ મહાઅભિયાન સ્વચ્છતા એજ સેવા નું આજે  સવારે ૧૧  કલાકે મથુરા ખાતે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમન જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.  સેન્ટ્રલ ઝોનના કોન્ફરન્સ હોલ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખૅં ૧૧-૦૯-૨૦૧૯ થી તારીખૅં ૨૭-૧૦-૨૦૧૯ દરમ્યાન હાથ ધરવામાં આવનાર વિવિધ પ્રવૃત્ત્િ।ઓ અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા તા.૦૨-૧૦-૨૦૧૯ ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તમામ મહાનગરપાલિકાના નાગરિકોને જોડી જન-જાગૃતિ અભિયાન સ્વરૂપે, શ્રમદાન, કિલન એન્ડ ગ્રીન ડ્રાઇવ, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા રેલી, પ્લાસ્ટીક કચરાનું એકત્રીકરણ, જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના અધિકારી અને કર્મચારીને કામગીરી સોપવામાં આવેલ છે.

આ વિશે મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રવૃત્ત્િ।ઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવેલ તેનો ચુસ્તપણે અમલ થાય અને આ અંગેની સદ્યન ઝુંબેશ હાથ ધરવી, વોર્ડ વાઇઝ વાસણ ભંડાર વાળાની દુકાનની મુલાકાત લઇ, તેઓને લગ્ન પ્રસંગો, સંમારંભોમાં પ્લાસ્ટીકની વસ્તુ આપવાને બદલે અન્ય વાસણ આપવા માટેની સમજ આપવી, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ડ્રાઇવરો અને હેલ્પરો દ્વારા લોકો પાસેથી ભીનો કચરો અને સુકો કચરો અલગથી લે તે માટેની ચેકીંગ ઝુંબેશ હાથ ધરાશે.

 વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યુ હતુ કે, શહેરમાં હાલમાં કાર્યરત સેન્ટરની મુલાકત લઇને તેઓ દ્વારા કેટલો પ્લાસ્ટીક એકઠોં કરવામાં આવે છે તે અંગેની ચેકીંગ ઝુંબેશ હાથ ધરવી, ગાર્બેજ ટ્રાન્સપોર્ટેશને આવતા ડ્રાય વેસ્ટન દ્વારા પ્લાસ્ટીક કચરાનું વર્ગીકરણ અલગથી થાય તેવી વ્યવસ્થા કરવી, મલ્ટીલેયર પ્લાસ્ટીકના ઉત્પાદન તથા નમકીન ઉત્પાદન કરતાં યુનિટો સાથે  અંગેની મિટીંગ આયોજન કરવું, હાલમાં વોર્ડ ઓફિસમાં કામ કરતા કાર્યરત મિત્રમંડળના સભ્યોને સેગ્રીગેશન અંગેની તાલીમ આપવી, પ્લાસ્ટીક મુકત થીમ ઉપર ઓડીયો-વિડિયો બનાવવા અને તેનું પ્રચાર-પ્રસાર કરાવવુ કાપડની  જોડી ઘરમાંથી નકામા કપડા એકત્રીત કરીને તેમાંથી કપડાની થેલી બનાવી અને તેનું ઘરે-ઘરે વિતરણ કરવાની કાર્યવાહી કરવી, વોર્ડ વિસ્તારમાં આવેલ તમામ ગીફટ, આર્ટીકલ શોપની મુલાકાત લઇ ગીફટ પેક માટે વપરાતા પ્લાસ્ટીકના બદલે કપડા, કાગળ કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવા માટેની સમજણ આપવી, પ્લાસ્ટીક મુકત ભારત વિષય ઉપર શાળા, કોલેજના વિધાર્થીઓની સ્વચ્છતા રેલી તથા સ્વચ્છતા શપથ માટેનું આયોજન કરવું, જન જાગૃતિના ભાગરૂપે  સાથે સંકલન કરી શ્રમદાન અંગેનુ આયોજન કરવું, લાસ્ટીક મુકત ભારત પર શાળાના વિધાર્થીઓ સાથે નિબંધ-સ્પર્ધા, ચિત્ર-સ્પર્ધા ડ્રામા, વગેરે જેવી ઇન્ટર સ્કુલ સ્પર્ધાનું આયોજન કરવું, શહેરના નાગરિકો, ખાનગી સંસ્થાઓ, સ્વચ્છતા એમ્બેસેડરો સાથે રાખીને પ્લાસ્ટીક કચરો એકત્ર કરવા માટેની ઝુંબેશ હાથ ધરવી. સૌથી વઘુ કચરો એકઠોં કરનારને  સન્માનિત કરવામાં આવશે, નાગરિકો તથા ફઞ્બ્ ઓને સાથે રાખી રાંદરડા તળાવ તથા આજીડેમ, ન્યારી-ડેમના કિનારા પરથી પ્લાસ્ટીકનો કચરો દુર કરવા માટેની ઝુંબેશનું આયોજન કરવા, આજીડેમ, ન્યારી ડેમ તથા ગ્રીન લેન્ડ ચોકડી ખાતે સીંગલ યુઝ પ્લાસ્ટીક ચેકીંગ હાથ ધરવા અંગેની કામગીરી કરવી, તમામ રેસ્ટોરન્ટ, હોટલ ધારકોનું  સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગેનું ચેકીંગ હાથ ધરવું, વોર્ડના નાગરીકો દ્વારા તેઓના ઘરોમાં રહેલ સીંગલ યુજ પ્લાસ્ટીક વોર્ડ ઓફીસે જમા કરવા માટેની કાર્યવાહી કરવી, પ્લાસ્ટીક મુકત શહેર કઇ રીતે બને તે વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવું અને વોર્ડ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને ધાર્મિક સ્થળોના ધર્મગુરૂઓ પોતાના પ્રવચનમાં લોકો સીંગલ યુઝ પ્લાસ્ટીક ન વાપરે તે માટે પ્રચાર પ્રસાર કરવા અંગે ધર્મગુરૂઓને વિનંતીસહ આ મહાભિયાનમાં સામેલ કરવા વગેરેનો સમાવેશ થાય છે.

(4:06 pm IST)