કૃષ્ણનગરમાં ઉલ્ટી થયા બાદ રીક્ષા ચાલક શાહરૂખનું મોત
ઉદયનગરમાં બેભાન થઇ જતા મંજુબેન રૈયાણીનું મોત
રાજકોટ તા. ૧૧ : શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા મુસ્લીમ યુવાનને ઉલ્ટીઓ થયા બાદ તેનુ સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતો રીક્ષા ચાલક શાહરૂખ મહેબુબભાઇ મુલતાણી (ઉ.ર૮) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે તેને એકાએક ઉલ્ટીઓ થતા તેને સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ.જે.કે.પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહે કાર્યવાહી કરી હતી.
ઉદયનગરમાં વૃદ્ધાનું બેભાન થઇ જતા મોત
શહેરના ઉદયનગર શેરી નં. ૧માં રહેતા મંજુબેન કરમશીભાઇ રૈયાણી (ઉ.૬૪) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી. એસ. આઇ. જે.કે. પાંડાવદરા તથા રાઇટર પ્રશાંતસિંહએ કાર્યવાહી કરી હતી.