News of Wednesday, 11th September 2019
ઝમઝમ ચોકમાં ભવ્ય નિયાઝનો હજારો લોકોએ લાભ લીધો
રાજકોટઃ ગઇકાલે આશૂરા પર્વ નિમિત્તે જંગલેશ્વર મેઇન રોડ ઉપર આવેલ ઝમઝમ ચોકમાં દર વર્ષે 'રોઝા' પૂર્ણ થયા બાદ યોજાતી વેજીટેરીયન નિયાઝ ગઇ સાંજે રાખવામાં આવેલી જેમા ગઇકાલે વરસાદ નહીવત રહેતા રઝાનગરમાં તાજીયા નિહાળવા આવેલા હિન્દુ- મુસ્લિમ હજારો ભાઇ - બહેનો તેમાં જોડાયા હતા. જે નિયાઝનો કાર્યક્રમ સાંજે ૭/૩૦ વાગ્યે ચાલુ થયા બાદ બે કલાક સુધી ચાલ્યો હતો અને તેના માટે નવ યુવાન કાર્યકરોએ ખડેપગે સેવા આપી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
(3:30 pm IST)