રાજકોટ
News of Wednesday, 12th September 2018

રાજકોટમાં ગુરુવારે કોઈપણ વિસ્તારમાં પાણીકાપ નહિ :પદાધિકારીઓ અને એન્જીનીયરોએ ઉકેલ કાઢ્યો :મુખ્યમંત્રી વિજયભાઈએ તાકીદે કાર્યવાહી કરાવી

કાલે ગુરુવારે લદાયેલ પાણીકાપનો ઉકેલ આવતા શહેરીજનોએ પાણીકાપનો ભોગ નહિ બનવું પડે

રાજકોટ :આવતીકાલે રાજકોટના કેટલાક વોર્ડમાં પાણી કાપ નાખવો પડ્યો હતો પરંતુ મ્યુનિપદાધિકારીઓ અને એન્જીનીયરોએ સાથે બેસીને અંગે ઉકેલ લાવતા હવે આવતીકાલે ગુરુવારે રાજકોટના કોઈપણ વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવશે નહીં 

   રાજકોટમાં આવતીકાલે લદાયેલ પાણીકાપ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાતે જાતે રસ લઈને રાજકોટની પ્રજાને કોઈપણ હાલાકી ના પડે તે માટે તાકીદે કાર્યવાહી હાથ ધરાવી હતી અને રાજકોટની પ્રજાને પાણીકાપનો ભોગ બનવું ના પડે તેવા પગલાં લીધા છે આમ રાજકોટમાં આવતીકાલે કોઈપણ વિસ્તારમાં પાણીકાપ લાદવામાં આવશે નહિ

---

(10:23 pm IST)