રાજકોટ
News of Sunday, 12th July 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ 19 વિભાગમાં રાત્રિથી આજ રવિવાર બપોર સુધીમાં 4 મોત: વીંછીયા, ધારી, મોરબી અને સુરેન્દ્રનગરના દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ: વૈશ્વિક  મહમારી કોરોનાએ ભરડો લેવાનું ચાલુ જ રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવાર રાતથી આજે રવિવારે બપોર સુધીમાં 4 મોત થયા છે. જેમાં વીંછીયાના મુક્તાબેન સંજયભાઈ (ઉંમર 30) ધારીના ગિજુભાઈ રાજુભાઇ (ઉંમર 70) મોરબીના ભરતભાઈ લાલજીભાઈ (ઉંમર 59)  અને સુરેન્દ્રનગરના સુરેશભાઈ મોહનભાઈ( ઉંમર 62)નો સમાવેશ થાય છે. તમામ રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાય છે.

(1:58 pm IST)