રાજકોટમાં ૨૧મીએ નાટક ''રામ લલ્લા કી માતા''
આર્ટ ઓફ લિવિંગ બેંગ્લોર સ્થિત આશ્રમાયટ દ્વારા આયોજન
રાજકોટ,તા.૧૨: પૂ.શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લીવીંગ, બેંગ્લોર સ્થિત આશ્રમાયટ દ્વારા ભજવવામાં આવેલ ગુજરાતમાં સર્વપ્રથમ અમદાવાદ, સુરત, વડોદરા અને હવે રાજકોટમાં હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ ખાતે તા.૨૧ના રવિવારે સવારે ૧૦:૧૫ થી ૧૨:૧૫ કલાકે ''રામલલા કી માતા''નાટયનું આયોજન થયેલ છે.
રામાયણમાં કૈકૈઈ કે જે રામચંદ્ર ભગવાનની અનન્ય ભકિતમાં ડુબેલા હતા અને રામચંદ્ર ભગવાનના કલ્યાણ માટે રામને વનમાં મોકલવાનું વચન માગી ઈતિહાસમાં કાયમ ખાતે નામોશી વહોરી રામચંદ્ર ભગવાન પ્રત્યેની અનન્ય ભકિતનું ઉદાહરણ પુરૃં પાડેલ છે. આ થીમને લઇને આ નાટક કે જેમાં જ્ઞાન, હયુમર તથા પૂ.ગુરૂદેવ દ્વારા રામાયણમાં આપેલ દ્રષ્ટાંતોનું સમન્વય કરી સુંદર મજાનું રસતરબોળ નાટક લઈને બેંગ્લોર સ્થિત અનુયાયીઓ આ નાટય રજૂ કરશે. આ અંગે વધુ માહિતી માટે મો.૯૪૨૭૨ ૫૫૧૯૮ ઉપર સંપર્ક સાધવા સંસ્થાની યાદી જણાવે છે.