રાજકોટ
News of Thursday, 12th July 2018

નારી શકિત વૈદિક કાળથી સમાજને પ્રેરણા આપતી રહી છેઃ અંજલીબેન રૂપાણી

ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મહિલા સ્વયંસેવી સંસ્થાઓનો સીધો સંવાદ

રાજકોટ : શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહિલા મોરચાના  પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં તેમજ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણીની ઉપસ્થિતીમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે દૂરદર્શન તેમજ નમો એપના માધ્યમથી શહેરની મહિલા સ્વયંસેવી સંસ્થાઓ  સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને શહેરની મહિલા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. સંવાદ કાર્યક્રમમાં શહેરની દીનદયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તાલીમ કાર્યક્રમના લાભાર્થી બહેનો જોડાયા હતાં. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન  રૂપાણીએ જણાવ્યું હતું કે વૈદિક કાળથી નારી શકિત સમાજને પ્રેરણા આપતી રહી છે અને આજે નારી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે ભાજપે  મહિલા સશકિતકરણને પ્રાધાન્ય આપ્યુ છે. આ તકે શહેરના મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુંકે આજે દરેક  ક્ષેત્રમાં નારી શકિત પોતાનું યોગદાન આપી રહી છે અને નારી શકિતઓએ સમાજની રૂઢી ચુસ્તતાઓ તોડીને અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે ત્યારે ભાજપે નારી સશકિતકરણને વેગ આપ્યો છે. આ તકે કંચનબેન સિધ્ધપુરા, રાબીયાબેન સરવૈયા, કલ્પનાબેન કિયાડા, સંગીતાબેન છાયા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, ડો. દર્શીતાબેન શાહ, દુર્ગાબા જાડેજા, પ્રીતીબેન પનારા, મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, જયોત્સનાબેન ટીલાળા, અનિતાબેન ગોસ્વામી, રસીલાબેન સાકરીયા, જશુમતીબેન વસાણી, માધવીબેન ઉપાધ્યાય, જયશ્રીબેન રાવલ, દેવયાનીબેન માંકડ, રક્ષાબેન વાયડા, રંભાબેન ભાલારા, પુષ્પાબેન જોષી, તેમજ  શહેર ભાજપ મહિલા મોરચાના દરેક વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સદસ્યો અને કાર્યકર્તા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (પ-૩ર)

 

(4:14 pm IST)