News of Wednesday, 12th June 2019
મુનિરાજ ભકિતયશ મ.સ. લીખીત ગૂંઢાઇ તત્વલોક ઉપાસનીય યશોલતા વ્યાખ્યા ઉપર વર્કશોપ : પૂ.આ.ભ. યશોવિજયજીની પધરામણી
ભારત સરકાર દ્વારા સોૈરાષ્ટ્ર યુનિ. ખાતે : તા. ૧૬ થી ૨૯ જુન દરમિયાન દેશભરના તજજ્ઞોનું વકતવ્ય : આજે રાત્રે જાગનાથ સંઘમાં મીટીંગ
રાજકોટ તા ૧૨ : પૂજય ગુરૂદેવ આચાર્ય ભગવત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજશ્રી ભકિતયશ મહારાજ સાહેબે લખેલ ગૂઢાર્થતત્વાલોક ઉપરની '' યશો લતા'' વ્યાખ્યા ઉપર ભારત સરકારે એક વર્કશોપનું આયોજન કર્યુ છે.
આ વર્કશોપ ૧૬ થી ૨૯ જુન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે. આ વર્કશોપનો આરંભ સમારોહ ૧૬ જુને સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે થશે.
તા. ૧૬ ના રોજ પૂજય ગુરૂદેવશ્રી ૯ થી ૯.૧૫ સુધી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પધારશે, સમસ્ત ગુરૂભકત પરિવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ ખાતે એકત્ર થઇ આચાર્ય ભગવતને વાજતે ગાજતે મંગલ પ્રવેશ કરાવાશે. આ કાર્યક્રમની રૂપરેખા માટે આજરોજ જાગનાથ સંઘ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા. સમજ આપનાર છે.
(4:16 pm IST)