રાજકોટ
News of Wednesday, 12th June 2019

મુનિરાજ ભકિતયશ મ.સ. લીખીત ગૂંઢાઇ તત્વલોક ઉપાસનીય યશોલતા વ્યાખ્યા ઉપર વર્કશોપ : પૂ.આ.ભ. યશોવિજયજીની પધરામણી

ભારત સરકાર દ્વારા સોૈરાષ્ટ્ર યુનિ. ખાતે : તા. ૧૬ થી ૨૯ જુન દરમિયાન દેશભરના તજજ્ઞોનું વકતવ્ય : આજે રાત્રે જાગનાથ સંઘમાં મીટીંગ

રાજકોટ તા ૧૨ : પૂજય ગુરૂદેવ આચાર્ય ભગવત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિરાજશ્રી ભકિતયશ મહારાજ સાહેબે લખેલ ગૂઢાર્થતત્વાલોક ઉપરની '' યશો લતા'' વ્યાખ્યા ઉપર ભારત સરકારે એક વર્કશોપનું આયોજન કર્યુ છે.

વર્કશોપ ૧૬ થી ૨૯ જુન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે. વર્કશોપનો આરંભ સમારોહ ૧૬ જુને સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે થશે.

તા. ૧૬ ના રોજ પૂજય ગુરૂદેવશ્રી ૯ થી ૯.૧૫ સુધી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પધારશે, સમસ્ત ગુરૂભકત પરિવારે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ ખાતે એકત્ર થઇ આચાર્ય ભગવતને વાજતે ગાજતે મંગલ પ્રવેશ કરાવાશે. આ કાર્યક્રમની રૂપરેખા માટે આજરોજ જાગનાથ સંઘ ખાતે રાત્રે ૮.૩૦ કલાકે પૂ.આ.ભ. યશોવિજયજી મ.સા. સમજ આપનાર છે.

(4:16 pm IST)