રાજકોટ
News of Wednesday, 12th May 2021

શ્રી ઈન્દ્રપ્રસ્થનગર સંઘમાં પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તી પૂ. તારાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

રાજકોટઃશ્રી ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ - રાજકોટ ખાતે બિરાજીત ગોંડલ સંપ્રદાયના પરમશ્રદ્ધેય પૂ. ગુરુદેવશ્રી ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી અધ્યાત્મયોગિની પૂ. રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા બા.બ્ર.પૂ. તારાબાઈ મહાસતીજી ૮૪ વર્ષની ઉંમરે ૬૧ વર્ષના દીક્ષા પર્યાય સહિત આજે તા. ૧૨ ના રાત્રે ૧૦:૧૫ કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે.

     કલકત્તામાં શ્રી પ્રાણલાલજી જુઠાલાલ દેસાઈ અને ચંદનબેનના ગૃહાંગણે તા. ૨૮-૧૧-૩૬ ના જન્મેલા તારાબહેને વિ.સં. ૨૦૧૬ ના અખાત્રીજના કઝીન બહેન પૂ. હર્ષિદાબાઈ મ.સ. સાથે તા. ૨૮-૦૪-૧૯૬૦ ના પડધરીમાં દીક્ષા અંગીકાર કરેલ. ત્યારબાદ વિ.સં. ૨૦૨૪ માં નાના બહેનો પૂ. ગુણીબાઈ મ.સ. અને પૂ. રમાબાઈ મ.સ. એ દીક્ષા અંગીકાર કરેલ.

પૂ. તારાબાઈ મ.સ.ની વૈયાવચ્ચમાં પૂ. ગુણીબાઈ મ.સ. , પૂ. લીનાજી મ.સ. હતા. ડૉ. સંજય શાહ, ડૉ. પારસ શાહ વગેરે તેમજ જયશ્રીબેન શાહ, રેખાબેન શાહ વગેરે સેવારત હતા. પૂ. મહાસતીજીના સંસારી ભાઈ સ્વ. શશીભાઈ, સ્વ. નટુભાઈ, ભાસ્કરભાઈ અને બહેનો સ્વ. ભાનુબેન, પૂ. ગુણીબાઈ મ.સ. , લલિતાબેન, ક્રિષ્નાબેન, રેખાબેન છે.

 સરકારી નિયમાનુસાર પાલખીયાત્રા તા. ૧૩ ને ગુરુવારે સવારે ૭ કલાકે નીકળશે. તેમ ધીરુભાઈ વોરાની યાદીમાં જણાવ્યું છે

(11:35 pm IST)