સૌરાષ્ટ્ર યુનિ. બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણીમાં ભાજપની પેનલના રાજભા જાડેજા બિનહરીફ
રાજકોટ,તા. ૧૨: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોર્ડ ઓફ એકાઉન્ટ ની ચૂટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલમાંથી રાજભા જાડેજા બિન હરીફ ચુંટાઈ આવેલ છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચુટણીનો ધમધમાટ ચાલી ત્યારે બોર્ડ ઓફ એકાઉન્ટની ચુંટણીમાં ત્રણ પ્રતિનિધિ ચુટવાના હોય છે જેમાં કુલ પાંચ ફોર્મ ભરવામાં આવેલ હતા. ડો.રાજદિપસિંહ જાડેજા ડો.લિલાભાઈ કડછા , ડો.રાજેન્દ્રસિંહ જાડેજા, ડો.ક્રીપાલસિંહ પરમાર અને રશમિન પટેલ. જેમાં ડો.રાજદિપસિંહ જાડેજા અને ડો.લિલાભાઈ કડછા દ્વારા ફોર્મ પરત ખેંચી લેતા ડો.રાજેન્દ્રસિંહ જાડેજા, ડો.ક્રિપાલસિંહ પરમાર તેમજ રશ્મિન પટેલ બિનહરીફ ચુટાઈ આવેલ હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહત્વ ની કહી શકાય એવી આ બેઠક જેમાં યુનિવર્સિટીની લેણદેણની તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયાની જવાબદારી હોય છે. આ બોર્ડ ઓફ એકાઉન્ટની સીટ પર છેલ્લા પંદર વર્ષથી કાયમ માટે રાજભા જાડેજાનુ વર્ચસ્વ રહેલ છે અને આજ ફરી આ સીટ પર રાજભા જાડેજા બિનહરીફ થતા તેઓએ આ બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.