રાજકોટ
News of Wednesday, 12th May 2021

વૈયાવચ્ચ રત્ન સી.એમ. શેઠ અને શૈલેષભાઈ માંઉ પર સંપ્રદાયો,જૈન સંઘો,સંત-સતીજી દ્વારા શુભેચ્છા વર્ષા

ગોંડલ સંઘાણી અને અજરામર સંપ્રદાયનાં અનેક સંત-સતીજીએ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લીધો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી પ્રત્યે સમગ્ર જૈન સમાજે આભારની લાગણી વ્યકત કરી

રાજકોટ,તા.૧૨: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગુરૂદેવ પૂ. શ્રી ગિરિશચંદ્રજી સ્વામી પ્રત્યે અનન્ય ભકિતવંત એવં શેઠ ઉપાશ્રયનાં વાઈસ પ્રેસિડેન્ટ શૈલેષભાઈ માંઉના પ્રયત્ન અને પુરૂષાર્થથી રાજકોટ નગરીમાં બિરાજમાન ગોંડલ, ગોંડલ સંઘાણી અને અજરામર સંપ્રદાયનાં અનેક સંત-સતીજી ને કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

કોરોના મહામારીના વિકટ સમયમાં ઓકિસજનના બાટલા એવં હોસ્પીટલમાં બેડની વ્યવસ્થા આદિ તથા અન્ય રીતે તન-મન-ધન થી નાત-જાત એવં સંપ્રદાયના ભેદભાવ થી ઉપર ઉઠીને કરી રહ્યા છે. શૈલેષભાઈ જણાવે છે કે આ વૈયાવચ્ચનાં તમામ શાસનસેવા કાર્ય વૈયાવચ્ચરત્ન એવં રાજકોટ રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘનાં પ્રેસિડેન્ટ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (સી.એમ.શેઠ) નાં માર્ગદર્શન હેઠળ તેમજ તેમના દીર્ધ દ્રષ્ટિયુકત સૂચન હેઠળ ચાલી રહ્યા છે.

વેકિસનેસન નાં કાર્ય માં સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી નો સહયોગ મળ્યો છે. આ બદલ સમગ્ર જૈન સમાજે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

ગોંડલ સંપ્રદાયના સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સ., પૂ. વિજયાબાઈ મ.સ., પૂ. સાધનાબાઈ મ.સ., પૂ. વનિતાબાઈ મ.સ., પૂ. દીક્ષિતાબાઈ મ.સ., પૂ. કુંદનબાઈ મ.સ., પૂ. તારાબાઈ મ.સ., પૂ. રાજેમતીબાઈ મ.સ., પૂ. સુમતિબાઈ મ.સ, પૂ. વિનોદીનીબાઈ મ.સ., પૂ. હસ્મીતાબાઈ મ.સ., પૂ. કલ્પનાબાઈ મ.સ., પૂ. સુનિતાબાઈ મ.સ., પૂ. રશ્મિબાઈ મ.સ., પૂ. રેણુકાબાઈ મ.સ., પૂ. રૂપાબાઈ મ.સ., પૂ. અમિતાબાઈ મ.સ., પૂ. અજીતાબાઈ મ.સ., પૂ. સ્મીતાબાઈ મ.સ., પૂ. અંજીતાબાઈ મ.સ., પૂ. સંજીતાબાઈ મ.સ., પૂ. સુજીતાબાઈ મ.સ., પૂ. શ્રેયાંસીબાઈ મ.સ., પૂ. શ્વેતાંસીબાઈ મ.સ., પૂ. હેમાંશીબાઈ મ.સ., પૂ. ભાવિતાબાઈ મ.સ., પૂ. પન્નાબાઈ મ.સ., પૂ. નમ્રતાબાઈ મ.સ., પૂ. વિનિતાબાઈ મ.સ., પૂ. ચાંદનીબાઈ મ.સ., પૂ. સંગીતાબાઈ મ.સ., પૂ. ભાવનાબાઈ મ.સ. પૂ. ભાનુબાઈ મ.સ., પૂ. ઈન્દુબાઈ મ.સ., પૂ. ધર્મિષ્ઠાબાઈ મ.સ., પૂ. નિરૂબાઈ મ.સ., પૂ. જયોત્સનાબાઈ મ.સ., પૂ.(નાના) ઈન્દુબાઈ મ.સ., પૂ. પુનિતાબાઈ મ.સ., પૂ. જિજ્ઞાસાબાઈ મ.સ., પૂ. કોમલબાઈ મ.સ., પૂ. શાંતાબાઈ મ.સ., પૂ. માલતીબાઈ મ.સ., પૂ. હંસાબાઈ મ.સ., પૂ. અરવિંદાબાઈ મ.સ.

પૂ. વનિતાબાઈ મ.સ., પૂ. પ્રફુલ્લાબાઈ મ.સ. , પૂ. હંસાબાઈ મ.સ., પૂ. ઉષાબાઈ મ.સ., પૂ. ઈલાબાઈ મ.સ., પૂ. બંસરીબાઈ મ.સ., પૂ. મુકિતશિલાજી મ.સ., પૂ. હસુતાબાઈ મ.સ., પૂ. હર્ષિદાબાઈ મ.સ., પૂ. ઉષાબાઈ મ.સ., પૂ. પ્રવિણાબાઈ મ.સ., પૂ. પુનિતાબાઈ મ.સ., પૂ. વીણાબાઈ મ.સ., પૂ. જાગૃતિબાઈ મ.સ.,પૂ. જસુબાઈ મ.સ., પૂ. કિરણબાઈ મ.સ. , પૂ. વિમળાબાઈ મ.સ., પૂ. પદ્માબાઈ મ.સ., પૂ. જિજ્ઞાબાઈ મ.સ.

ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં પૂ. સાધનાબાઈ મ.સ., પૂ. ચંદનાબાઈ મ.સ., પૂ. વર્ષાબાઈ મ.સ., પૂ. આરતીબાઈ મ.સ., પૂ. ખ્યાતીબાઈ મ.સ., પૂ. હીનાબાઈ મ.સ., પૂ. હંસાબાઈ મ.સ., પૂ. જાગૃતિબાઈ મ.સ., પૂ. મીરાબાઈ મ.સ., પૂ. નંદાબાઈ મ.સ.

લીંબડી અજરામર સંપ્રદાયના પૂ. ભાવિતાકુમારીજી મ.સ., પૂ. નમનકુમારીજી મ.સ., પૂ. વિહાંશી કુમારીજી મ.સ. આદિ સંત સતીજીને વેકસીનનો બીજો ડોઝ અપાવવામાં વૈયાવચ્ચરત્ન સી.એમ. શેઠ, શૈલેષભાઈ માંઉ એ જહેમત ઉઠાવેલ છે.

આ વેકસીનેશનનાં કાર્યને સફળ બનાવવા રાજકોટ કલેકટર શ્રી રેમ્યામોહન, રેસિડન્ટ કલેકટર પરિમલભાઈ પંડ્યા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, મેયર ડો. પ્રદિપ ડવ , ડેપ્યુટી મેયર શ્રી ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ભાજપ સિનિયર નેતા નિતિનભાઈ ભારદ્વાજ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજશ્રીબેન ડોડીયા, ચીફ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ તેમજ વોર્ડ નંબર ૮નાં વેકસીનેશન અધિકારી ડો. હાપલીયા નાં સાથ સહકાર સહયોગથી સંત-સતીજી નું વેકસીનેશન કાર્ય પૂર્ણ થયેલ છે. આ કાર્યમાં ગોંડલ સંઘ પ્રમુખશ્રી પ્રવિણભાઈ કોઠારી, ગોંડણ સંઘાણી સંપ્રદાય પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારી, અજરામર સંઘ પ્રમુખ શ્રી મધુભાઈ ખંધાર, આદિ સંપ્રદાયો/સંઘોના પદાધિકારીગણો એ શુભેચ્છા પાઠવી છે.

(3:04 pm IST)