વોર્ડ નં.૨નાં ભાજપ લઘુમતી મોરચાનાં નવનિયુકત પ્રમુખ સહીતનાં હોદેદારોને આવકારતાં આગેવાનો
રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, દેવાંગભાઇ માંકડ વિગેરેની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.૨ના ભાજપ પક્ષના લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે રાજુભાઇ માવતર મહામંત્રી તરીકે રઝાકભાઇ કારીયાણી અનેે પ્રભારી તરીકે શરફરાજ દલવાણીની નિમણુંકો કરવામાં આવી છે. આ ત્રણેય નિમણુંકોને શહેરના અગ્રણી આગેવાનો જહીદભાઇ દલ, શહેર લઘુમતી મોરચોના ઉપપ્રમુખ ઇલ્લુભાઇ કાશવાણી, શહેર ભાજપ મંત્રી યુશુફભાઇ કટ્ટાર, રાજુભાઇ દલવાણી, જહીર અબાસ સુમાબુથ સહ ઇન્ચાર્જ), રઝાક ભાઇ જામનગરી ભાજપ કારોબારી સભ્ય, ફારૂકભાઇ કટારીયા, અશીમ અઘામ(બુથ વાલી પ્રમુખ) મુસ્લિમ સમાજના અગ્રણીઓ આમદભાઇ દલ, કાસમભાઇ દલવાણી, અજીતભાઇ બલોચ, સુલેમાનભાઇ દલ, અલ્તાફભાઇ શેખ, ઓસુભાઇ મોટાણી, હમીરભાઇ ખુરેશી, ઇસ્માઇલભાઇ બાદી તથા અયુબખાન એજાજ બાપુ બુખારી, હોજેફા શાકીર, પરેશભાઇ કુરેશી વગેરેએ આવકાર અભિનંદન પાઠવ્યા હતાં. તસ્વીરમાં નવનિયુકત પ્રમુખ રાજુભાઇ માવતર તથા પ્રભારી સરફરાજભાઇ મો.૯૫૭૪૫૦૦૦૪૭, ૮૨૩૮૨ ૦૮૩૦૩ બંને હોદેદારોએ તેમનાં ટેકેદાર કાર્યકરો સાથે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકત લઇ અને લોકપ્રશ્નો ઉકેલવા તથા સંગઠન મજબુત બનાવવા અંગે વિગતો રજૂ કરી હતી. તે દર્શાય છે. (તસ્વીર. સંદિપ બગથરિયા) (૨૩.૧૪)