રાજકોટ
News of Saturday, 12th May 2018

માલીયાસણના તળાવને ઉંડુ ઉતારવાનો શુભારંભ

રાજકોટઃ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જૈન સમાજ જીઓ દ્વારા માલીયાસણ પાસે તળાવને ઉંડા ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જૈન સમાજના અગ્રણી, શેઠ ઉપાશ્રય તથા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાવમાં આવી હતી. આ તળાવને ઉંડુ કરવા જૈન સમાજ દ્વારા દતક લેવામાં આવેલ છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:21 pm IST)