વડાપ્રધાનને ખુલ્લો પત્રઃ રાજકોટને 'એઈમ્સ' નહીં મળે તો સોમનાથથી દિલ્હી કૂચ
પ્રતિશ્રી,
શ્રી નરેન્દ્રભાઈ મોદી
(વડાપ્રધાનશ્રી દિલ્હી)
જય ભારત સાથ જણાવવાનું કે ગુજરાત અંગે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ રાજકોટ અને વડોદરામા અત્યાધુનિક સુવિધા ધરાવતી એઈમ્સ હોસ્પીટલ શરૂ કરવા જાહેરાત કરાયેલ છે, ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા 'એઈમ્સ'ની કાગડોળે રાહ જોઈને બેઠી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે અને ગુજરાતી તરીકે આપ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને નિકટથી જાણો છો ત્યારે સૌરાષ્ટ્રનું હૃદય ગણાતા રાજકોટને એઈમ્સ હોસ્પીટલ મળે તે માટે વડાપ્રધાનની રૂએ ભલામણ કરવા નમ્ર વિનંતી.. કેમ કે જો રાજકોટને 'એઈમ્સ'ની સુવિધા મળશે તો સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આ આશિર્વાદ સમાન સુવિધા હશે. સૌરાષ્ટ્રના રાજવી ક્રિષ્ણકુમારસિંહજીએ દેશને એક કરવા પોતાના ૧૮૦૦ પાદર આપી દીધા હતા. આવી સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર એઈમ્સ હોસ્પીટલ બને તે જરૂરી છે અને જો સૌરાષ્ટ્રને 'એઈમ્સ હોસ્પીટલ' વહેલી તકે નહીં મળે તો શ્રી સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દિલ્હી સુધીની યાત્રા કરી સૌરાષ્ટ્રના લાખો લોકો દિલ્હી આવીને રજુઆત કરશે.(૨-૧૩)
લી. સિદ્ધરાજસિંહ એસ. જાડેજા
(રાજકોટ મો. ૯૭૨૪૫ ૭૯૩૦૩)