કાલે ચેટીચંદ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે આયોલાલ ઝુલેલાલ કિર્તન ઉત્સવ
સરકારી ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન
રાજકોટ તા. ૧૨ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાશ ઉત્સવ, ભજન કિર્તન, ગીત સંગીત વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમિત છેલ્લા ૩૫ વરસથી અવાર-નવાર ઉત્સવ ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.
આગામી તારીખ ૧૩ને મંગળવારને રોજ સીંધી સંસ્કૃતિનું પર્વ ચેટીચંદ (સીંધી સમાજનું નવું વર્ષ) નિમિતે સાંજના ૬.૪૫ થી ૭.૪૫ દરમિયાન ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની સાઇડમાં, ૪-વૈદ્યવાડી, ડી-માર્ટની પાછળની શેરી ખાતે આયોલાલ.. ઝુલેલાલ કિર્તન ઉત્સવ, સંધ્યા ધ્યાનનું આયોજન સરકારી ગાઇડલાઇન અનુસાર કરવામાં આવેલ છે.
વધુ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ અને સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.