રાજકોટ
News of Monday, 12th April 2021

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં મૃત્યુ પામનાર વૃધ્ધના વાલીવારસ મળતા નથી

ભીમજીભાઇ રાયસીંગભાઇના નામથી દાખલ આ દર્દીના કોઇ સગા હોય તો કોવિડ સેન્ટરમાં સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં આ દર્દીને દાખલ કરાયા ત્યારે તેમનું નામ ભીમજીભાઇ રાયસીંગભાઇ (ઉ.વ.૬૨) લખાવાયું હતું.   પરંતુ હવે તેમનું મૃત્યુ થયા બાદ તેમના કોઇ વાલીવારસ કે સગા સંબંધી મળતાં નથી. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના સગા સંબંધી પરિચિત હોય તો કોવિડ કેર સેન્ટરમાં સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રવાહકોએ જણાવ્યું છે.

(4:16 pm IST)