મોહનભાઈના સમર્થનમાં ગ્રુપ બેઠકોનો ધમધમાટઃ કોંગ્રેસ કયારે જાગશે?
રાજકોટ,તા.૧૨: લોકસભાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ ભાજપનો ચૂંટણી પ્રચાર પણ જોર- શોરથી જામવા લાગ્યો છે. ત્યારે ભાજપના લોકસભાના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવાના ભાગરૂપે વિધાનાસભા ૬૮માં સમાવિષ્ટ વોર્ડ નં.૪, ૫, ૧૫ અને ૧૬માં ભાજપની ગ્રુપ બેઠક મળી હતી. જેમાં મોહનભાઈએ જણાવ્યુ હતું કે આપણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર, દાગદાર નહીં દમદાર સરકાર, રાષ્ટ્રના સુરક્ષાવાળી સરકાર અને દેશનો વિકાસ વેગવનતો બનાવીએ તેવો નિર્ધાર કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, ઈન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ તેમજ અશોકભાઈ લુણાગરીયા, મધુબેન કુંગશિયા, સંજયભાઈ ગોસ્વામી, રશિકભાઈ પટેલ, અશ્વિનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, પ્રીતિબેન પનારા, દક્ષાબેન ભેસાનિયા, રમેશભાઈ અકબરી, બાબુભાઈ ઉધરેજા, કલ્પનાબેન કિયાડા, દિલીપભાઈ લુણાગરીયા, પ્રભાતભાઈ કુંગશિયા, મુકેશભાઈ ધનસોત, સી.ટી.પટેલ, કાનાભાઈ ડેડીયા, દિલીપભાઈ લુણાગરીયા, પ્રભાતભાઈ કુંગશિયા, મુકેશભાઈ, ભીખુભાઈ ડાભી, રત્નાભાઈ મોરી, મહેશભાઈ બથવાર, સુરેશભાઈ વસોયા, હિરેનભાઈ ગોસ્વામી, ભાર્ગવ મિયાત્રા સહિતના કોર્પોરેટરો અને વોર્ડના વિવિધ હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.