રાજકોટ એસ.ટી. તંત્ર દ્વારા રાજકોટ-નાથદ્વારા વચ્ચે સ્લીપર વોલ્વો બસ ખાસ શરૂ કરાઇ
રાજકોટ તા ૧૨ : બાળકોની પરીક્ષાઓ શરૂ થઇ છે. વેકેશનની શરૂઆત પણ નજીકમાં છે, ત્યારે રાજકોટ એસ.ટી. ડિવીઝન દ્વારા દરરોજ સાંંજે રાજકોટથી નાથદ્વારા રૂટ પર એ.સી. સ્લીપર વોલ્વો બસ તા. ૯ એપ્રિલને મંગળવારથી શરૂકરાઇ છે.આ બસ રાજકોટથી દરરોજ સાંજે ૬.૩૦ કલાકે નાથદ્વારા જવા ઉપડશેે રાજકોટથી નાથદ્વારાનું ભાડુ રૂા ૧૧૦૫/- રખાયું છે, પરંતુ એસ.ટી. નિગમની આંતરરાજય પ્રિમીયમ સર્વિસ અંતર્ગત નાથદ્વારા જતા યાત્રિકોને ૨૫ ટકા ડિસકાઉન્ટ પણ અપાશે. એટલે કે ૧૧૦૫ મુળ ટિકીટ પર ૨૫ ટકા ૨૭૬ રૂપિયા બાદ કરીને યાત્રિક ે ૮૨૯ રૂપિયામાં રાજકોટથી નાથદ્વારા સુધીની આરામદાયક સવારી કરી શકશે. આ બસ રાજકોટ થી ચોટીલા, અમદાવાદ, હિંમતનગર,શામળાજી, રતનપુર, ઉદયપુર, કૈલાશપુર થઇને નાથદ્વારા પહોંચશે.