રાજકોટ
News of Tuesday, 12th February 2019

ઇંધણ બચાવો અભિયાન અંતર્ગત હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા જનજાગૃતિ રેલી

 રાજકોટઃ અહિના યુનિર્વસીટી રોડ  ઉપર આવેલ એચપીસીએલ રાજકોટ ઓફિસ ખાતે ભારત સરકારના ઇંધણ બચાવો અભિયાનના અંતર્ગત જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપની લી.ના રાજકોટના હેડ શ્રી ડી.ડી.શર્મા અને શ્રી એન.એસ.વાઘેલાના હસ્તે ફલેગ માર્ચ આપીને રેલીનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતુ.  આ રેલી સમગ્ર રાજકોટના જાહેર માર્ગ ઉપર યુવાનો દ્વારા ઇંધણ બચાવવા નવતર પ્રયોગ જનજાગૃતિ અભિયાનને આવકારી હતી.(૪૦.૨)

(3:50 pm IST)