રાજકોટ
News of Tuesday, 12th February 2019

કાલે યોજાનાર ''સંવિધાન બચાવો દેશ બચાવો રેલી'' પૂર્વે રાજકોટમાં કનૈયાકુમારનાં ફોટા ઉપર કાળી શાહીનાં પીછડાઃ પોસ્ટર ફાડયા

રાજકોટમાં કાલે બપોરે ૩ વાગ્યે ''સંવિધાન બચાવો દેશ બચાવો'' રેલીનું આયોજન હોસ્પીટલ ચોક ખાતેથી કરવામાં આવ્યું છે. જેમાં રેલીને સંબોધન જેએનયુના કનૈયાકુમાર પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિતના કરનાર છે આ રેલી પૂર્વે રાજકોટના નાના મવા સર્કલ, કોટેચા ચોક ખાતે લગાવેલા રેલીનાં બેનરમાં કનૈયાકુમારના ફોટા ઉપર કાળી શાહીનો પીછડો કોઇએ મારી દીધો હતો. જ્યારે રેસકોર્ષ પાસે પોસ્ટર પણ ફાડયા હતા. જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૨૦)

 

(3:49 pm IST)