રાજકોટ
News of Tuesday, 12th February 2019

મહેશ ચાવડાને 'ગરીબોના મસિંહા એવોર્ડ'

રાજકોટ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય તથા સી.જે.ગ્રુપ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહાશકિત હેલ્થ સેન્ટરના નિયામક ડો. મહેશ કે. ચાવડાની સેવાને ધ્યાનમાં રાખીને બ્રહ્માકુમારી શ્રી ભારતીદીદીજીના હસ્તે ''ગરીબોના મસીહા એવોર્ડ''થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગ ધામેચા, રાજુભાઈ, શૈલેષભાઈ વોરા તથા જન આરોગ્ય એજ્યુકેશન એન્ડ યોગ સંસ્થાનના ટ્રસ્ટી અજયભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૦)

(3:48 pm IST)