શનિવારે રાજકોટમાં આત્મજ્ઞાની પૂ.દીપકભાઇ દેસાઇનો સત્સંગ : રવિવારે જ્ઞાનવિધીનો કાર્યક્રમ
રાજકોટ તા. ૧૨ : પૂ. દાદા ભગવાન દીક્ષીત અને પૂ. ડો. નીરૂમાના સહાધ્યાયી એવા આત્મજ્ઞાની પૂ. દીપકભાઇ દેસાઇનો સત્સંગ કાર્યક્રમ તા. ૧૬ ના શનિવારે રાજકોટ ખાતે યોજાયો છે.
વિનુભાઇ પરસાણાની વાડી, આહીર ચોક સામે, બોલબાલા ૮૦ ફુટ રોડ ખાતે તા. ૧૬ ના શનિવારે સાંજે ૭ થી ૧૦ સત્સંગ અને બીજા દિવસે તા. ૧૭ ના રવિવારે સાંજે ૫.૩૦ થી ૯ જ્ઞાનિવિધીનો કાર્યક્રમ થશે.
કળીકાળના કળીયુગી જીવો માટે રણમાં મીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાને આત્યંતિક મુકિતનો માર્ગ બતાવ્યો છે. આ આત્મજ્ઞાન લઇ સમતાપુર્વક પોતાના કર્મો ખપાવીને આત્માનંદની અનુભુતિ કરવા પ્રેરણા મળે છે.
આ બે દિવસીય કાર્યક્રમોને લઇને દાદા ભગવાન પરિવાર રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. સત્સંગ અને જ્ઞાનવિધિનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. વાધુ માહીતી માટે મો.૯૮૭૯૧ ૩૭૯૭૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૩)