રાજકોટ
News of Tuesday, 12th February 2019

આર્થિક ભીંસથી કંટાળી માંગરોળ રૂદલપુરના યુવાને એસિડ પી લીધું

૨૨ વર્ષિય મહાવીરસીંહ જાડેજાને રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: માંગરોળના રૂદલપુર ગામે રહેતાં ૨૨ વર્ષિય યુવાન મહાવીરસિંહ ગંભીરસિંહ જાડેજાએ ગઇકાલે બપોરે એસિડ પી લેતાં કેશોદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

મહાવીરસિંહ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના પરિવારજનોના કહેવા મુજબ એક-દોઢ મહિનાથી કામ મળતું ન હોઇ આર્થિક ભીંસ ઉદ્દભવતાં કંટાળીને તેણે આ પગલું ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માંગરોળ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(10:14 am IST)