રાજકોટ
News of Monday, 11th February 2019

સરસ્વતી વિદ્યાલયમાં વસંતપંચમી વંદના

 ગોવિંદબાગ બ્રાહ્મણિયા પરા ખાતે આવેલી સરસ્વતી  વિદ્યાલયમાં વસંત પંચમી તહેવારમાં દિવસે શાળામાં વિદ્યાર્થીઓ તથા શિક્ષણગણ દ્વારા સમુહ પ્રાર્થના તથા સરસ્વતી દેવીનું પૂજન- અર્ચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સરસ્વતી દેવીની મુર્તિ સમક્ષ પોતાના પાઠ્યપુસ્તકો અને નોટબુક મુકીને પૂજા, આરાધના કરી આશિર્વાદ મેળવી જ્ઞાનોત્સવની ઉજવણી કરેલ. આ તકે શાળાના સંચાલક જે.ડી.ભાખરે પ્રાસંગિક પ્રવચન કરેલ.(૩૦.૫)

(3:32 pm IST)