રાજકોટ
News of Tuesday, 12th January 2021

કેશોદના રંગપુરમાં ગેસ લિકેજથી આગ લાગતાં દાઝી જવાથી વંદનાબેનનું મોત

રાજકોટ તા. ૧૨: કેશોદના રંગપુરમાં રહેતાં વંદનાબેન અશ્વિનભાઇ મક્કા (મૈયા દરબાર) (ઉ.વ.૨૮) તા. ૯/૧ના રોજ દાઝી જતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ ગેસ પર રસોઇ બનાવતી વખતે બાટલો લિક થતાં આગ લાગતાં તેણી દાઝી ગઇ હતી. લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. પતિ હીરા ઘસવાની સાથે ખેતી કામ કરે છે. બનાવ અંગે વધુ તપાસ કેશોદ પોલીસ કરશે.

(3:50 pm IST)