રાજકોટ
News of Saturday, 12th January 2019

પેડક રોડ ખોડિયાર કોમ્પલેક્ષના ૨૮ વર્ષના વિશાલ જોષીનો ગળાફાંસો ખાઇ આપઘાત

સેલ્સમેન તરીકે કામ કરતો'તોઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૨: સામા કાંઠે પેડક રોડ પર હનુમાનજીના મંદિર નજીક ખોડિયાર કોમ્પલેક્ષમાં રહેતાં વિશાલ પ્રદિપભાઇ જોષી (ઉ.૨૮) નામના બ્રાહ્મણ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

વિશાલે છતના હુકમાં લુંગી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના ઇએમટી મયુરભાઇ ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિશાલ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે સેલ્સમેન તરીકે કામ કરતો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:53 pm IST)