વોર્ડ નં. ૧૩માં કોંગ્રેસની જનસંપર્ક પદયાત્રા : ઠેર-ઠેર આવકાર
વોર્ડ નં-૧૩ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરશીભાઈ પટોરીયાની જન સંપર્ક પદયાત્રામાં રાજકોટ શહેર -જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મહેશભાઈ રાજપૂત તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મનોજભાઈ રાઠોડ, કોંગ્રેસના અગ્રણી દિનેશભાઇ ચોવટીયા, પ્રભાતભાઇ ડાંગર, ઉપનેતા મનસુખભાઇ કાલરીયા તથા કોપોરેટર જયંતિભાઇ બુટાણી, જયાબેન ટાંક, ઙ્ગસંજય અજુડીયા, ઠાકરશી ગજેરા, કનકસિંહ જાડેજા, ઙ્ગપ્રવિણભાઇ તથા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઙ્ગમનિષાબા વાળા, યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ .ઓબીસી ના ચેરમેન રાજેશભાઈ આમરણીયા, શિક્ષણ સમિતિના સભ્ય ધીરેનભાઈ મોગરા યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ તથા વિજયસિંહ ચાંદલી ઙ્ગવિગેરે આગેવાનીમાં વોર્ડ નં. ૧૩ના વિસ્તારમાં પદયાત્રા કરવામાં આવી હતી. તેમાં પ્રદેશ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, શહેર મહિલા કોંગ્રસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમ મહેશ રાજપૂતની યાદીમાં જણાવાયું છે.(૨૧.૨૬)