રાજકોટ
News of Saturday, 12th January 2019

મિલપરા પાસે વણિક મહિલા પૂનમબેન પોપટાણીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૨: કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર ગુજરાત પ્રેસ સામે રહેતાં પૂનમબેન ધીરજલાલ પોપટાણી (ઉ.૩૭) નામના જૈન વણિક મહિલા સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એન. એ. શુકલએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ચાર બહેન અને એક ભાઇમાં નાના તથા અપરિણીત હતાં. તેઓ હેન્ડીકેપ પણ હતાં. તેમને આંતરડામાં સોજા ચડી જવાની બિમારી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:52 pm IST)