લાખાજીરાજ ઉદ્યોગનગરની ૧૭ વર્ષની સગીરાને જયદીપ ઉર્ફે જમલો ભગાડી ગયોઃ અપહરણનો ગુનો
રાજકોટ, તા. ૧૨ :. કુબલીયાપરા મેઈન રોડ, લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી જયદીપ ઉર્ફે જયલો કિશોરભાઈ મકવાણા ભગાડી જતા થોરાળા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧૨માં રહેતા જસવંતભાઈ શીવાભાઈ રાઠોડ (ઉ.વ. ૫૦) એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, પોતે ઘરે જ દૂધ વેચવાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમા મોટી ૧૭ વર્ષની પુત્રી અભ્યાસ કરે છે. ગત તા. ૯-૧ના રોજ પોતે ઘરે દૂધનો ધંધો કરતા હતા ત્યારે પત્નીએ કહેલ કે દીકરી ઘરમાં જોવામાં આવતી નથી જેથી પોતે ઘરમાં તથા આજુબાજુ તેમજ સગાસંબંધીને ત્યાં તપાસ કરેલ પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો બાદ જાણવા મળેલ કે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૮ મા રહેતો જયદીપ ઉર્ફે જયલો કિશોરભાઈ મકવાણા સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ પોતે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જયદીપ ઉર્ફે જયલા વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.