News of Saturday, 12th January 2019
ચેમ્બરની ચૂંટણી ટાળવા હજુ પણ પ્રયાસો ચાલુ
રાજકોટઃ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી ન થાય અને ૪ થી પ લાખ જેટલો જંગી ખર્ચ બચી જાય તે માટે હજુ પણ સમાધાનના પ્રયાસો ચાલુ છેઃ આજે બપોરે સહકારી અગ્રણી અને પાટીદાર નેતા અરવિંદભાઇ તાળાની ઓફિસે સમીરભાઇ શાહ અને રાજુભાઇ જુંજા સહિત તેમની પેનલના ૬ સભ્યો વચ્ચે એક બેઠક યોજાઇ હતીઃ જેમાં સમાધાન અંગે ચર્ચા-વિચારણા થઇ હતીઃ આ અંગે અરવિંદભાઇ તાળાએ જણાવ્યું છે કે સમીરભાઇ શાહ પણ ચૂંટણી ન થાય અને ચેમ્બરનો ખર્ચ બચે તે અભિપ્રાયમાં છેઃ તેમણે જણાવ્યું હતું કે આ મિટીંગમાં ખીમાભાઇ ટીડા મકવાણા પણ ઉપસ્થિત હતાઃ તેમણે કહ્યું હતું કે અમારા પોઝીટીવ પ્રયાસો હજુ ચાલુ છે અને આશા છે કે ચૂંટણી ટળી જશે
(3:54 pm IST)