રાજકોટ
News of Friday, 11th January 2019

માલવીયા કોલેજ પાછળ આરએમસી કવાર્ટરમાં ખવાસ વૃધ્ધાનો અગ્નિસ્નાન કરીને આપઘાત

૬૦ વર્ષના વિલાસબેન પરમાર માનસિક બિમારીથી પીડાતા હતાં

રાજકોટ તા. ૧૧: પી.ડી. માલવીયા કોલેજ પાછળ દોશી હોસ્પિટલ રોડ પર આવેલા આરએમસી કવાર્ટરમા રહેતાં વિલાસબેન રમેશભાઇ પરમાર (ઉ.૬૦) નામના ખવાસ વૃધ્ધાએ ૮મીએ બપોરે અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ હતાં. તેમનું આજે સવારે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ વિલાસબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ રમેશભાઇ ફ્રુટની લારી હંકારી ગુજરાન ચલાવે છે. વિલાસબેનને લાંબા સમયથી માનસિક બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી. આ બિમારીથી કંટાળી જઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)