રાજકોટ
News of Friday, 11th January 2019

ગાંધીગ્રામ ન્યુ મહાવીરનગરમાં કેમીકલ્સનાં પ્રદુષણથી લતાવાસીઓ ત્રાહીમામ : દુકાન બંધ કરાવવા માંગ

રાજકોટ :  શહેરનાં વોર્ડ નં.૧માં લક્ષ્મીજી પાર્ક અને ન્યુ મહાવીરનગરમાં રોડ ઉપર કેમીકલ્સ બનાવતી દુકાનને કારણે ફેલાઇ રહેલા પ્રદુષણથી આસપાસનાં લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આજે સવારે લતાવાસી બહેનોનાં ટોળા એકત્રીત થઇ અને કેમીકલ્સની આ દુકાનને  બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી જે તસ્વીરમાં દર્શાય છે. દરમિયાન લતાવાસીઓએ આ બાબતે મ્યુ. કોર્પોેરશનનાં આરોગ્ય વિભાગને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરી હતી કે ઉપરોકત કેમીકલ્સની દુકાનનાં કારણે આસપાસમાં રહેતા લોકોમાં આંખોની બળતરા, માથાનો દુઃખાવો થવો વગેરે આરોગ્યને નુકશાન થઇ રહ્યું છે. તેથી વહેલી તકે આ કેમીકલ્સની દુકાન બંધ કરાવી જાહેર આરોગ્યને થઇ રહેલુ નુકશાન અટકાવવા માંગ છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:34 pm IST)