રાજકોટના યુવાને ખંઢેરા પાસે વિજ થાંભલા પર ગળાફાંસો ખાઇ લેતા મોત
જામનગર તા. ૧૧ : રાજકોટમાં મોવા ઈજનેર કોલેજ પાસે રહેતા કાંતાબેન ઉમેશભાઈ ખાડેખા ઉ.વ ૪પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, પતિ ઉમેશભાઈ મોહનભાઈ ખાડેખા જાતે કુભાંર રણુજા બીજ ભરવાનું કહી ઘરેથી નીકળેલ પણ ખંઢેરા ગામમાં દરગાહ પાસે ઈલેકટ્રીક થાંભલા ઉપર ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.
કેશીયા ગામે વૃધ્ધાને હાર્ટએટેક આવી જતા મોત
જોડીયા તાલુકાના કેશીયા ગામે રહેતા વિજય મનજીભાઈ ગોધાણીએ પોલીસમાં જાહેર કરેલ છે કે, લક્ષ્મણભાઈ રેવાભાઈ ગોધાણી ઉ.વ. ૭૦ ને હાર્ટએટેકનો હુમલો આવી જતા મરણ ગયેલ છે.
ઝેરી દવાની અસર થતાં ખેતમજૂરનું મોત
જામજોધપુર તાલુકાના ખરાવાડ–ર ગામે રહેતા ડાયાભાઈ નારણભાઈ સરવૈયાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, રવિભાઈ ડાયાભાઈ સરવૈયા ઉ.વ. રર વાળા ગીગળી રોડ પર જગદીશભાઈની વાડીએ જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય જે દરમ્યાન દવાની ઝેરી અસર થતાં જામજોધપુર હોસ્પિટલે લઈ ગયેલ જયાંથી વધુ સારવાર અર્થે ઉપલેટા ખાનગી હોસ્પિટલે લઈ ગયેલ જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલે લઈ જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.(૨૧.૧૬)