રાજકોટ
News of Wednesday, 11th December 2019

શહેરમાં છેલ્લા ૮ દિ'માં ડેન્ગ્યુ-શરદી-ઉધરસ-ઝાડા-ઉલટીનાં ૮૫૦ થી વધુ દર્દીઓ

રાજકોટ, તા.૧૧:  મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં  શહેરમાં ડેન્ગ્યુના ૨૧ કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૫૦થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય - શરદી ,ઉધરસ- તાવના ૩૮૨ કેસ, ઝાડા-ઉલ્ટીના ૩૬૩, ટાઇફોઇડ તાવના ૫, ડેન્ગ્યુના ૨૧ તથા મેલેરીયાના ૨, અન્ય તાવના ૩૪ કેસ  સહિત કુલ ૮૫૦  થી વધુ કેસ નોંધાયા છે.

૫ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૨૩ હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૫ હજાર ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૧૩૭ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૪૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૫૭ રેકડી, ૨૬-દુકાન, ૩-હોટલ-રેસ્ટોરન્ટ, ૯-ડેરી ફાર્મ સહિત કુલ ૧૨૫ ખાણી પીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૪૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.  તેમજ ૧૯ ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

(3:38 pm IST)