રાજકોટ
News of Wednesday, 11th December 2019

'વહાલુડીના વિવાહ' પ્રસંગને વધાવવા અકિલા પરિવારને આમંત્રણ આપતા મહાનુભવ બહેનો

રાજકોટઃ છેલ્લા બે માસથી દીકરાનું ઘર- વૃધ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે યોજાનાર ''વહાલુડીના વિવાહને'' ૨૫૦થી વધુ કાર્યકર્તાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ વહાલી દીકરીઓને તા.૨૨ ડિસેમ્બરનાં રોજ અસંખ્ય શ્રેષ્ઠીઓની હાજરીમાં અશ્રુભીની વિદાય આપશે ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાશે.

આ પ્રસંગ માત્ર ''દીકરાનું ઘર''નો ન બની રહે, સમગ્ર સમાજનો પ્રસંગ બની જાય એવા ભાવ સાથે સંસ્થા દ્વારા શહેરનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો, સહિત પાંચ હજારથી વધુ લોકો આ જાજરમાન પ્રસંગમાં જોડાનાર છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને સમુહલગ્ન અંગે આમંત્રણ આપવા આવેલા વહાલુડીના વિવાહના કોર કમિટિનાં સભ્યો સર્વશ્રી ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, રાધીબેન જીવાણી, કાશ્મીરાબેન દોશી, વર્ષાબેન આદ્રોજા, કલ્પનાબેન દોશી, પ્રિતીબેન વોરા, ગીતાબેન કે.પટેલ, રૂપાબેન વોરા, કિરણબેન, પ્રિતીબેન તન્ના, અલ્કાબેન પારેખ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:30 pm IST)