રાજકોટ
News of Wednesday, 11th December 2019

૨૦ પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલી કરતાં પોલીસ કમિશનર

ટ્રાફિક શાખા, તાલુકા પોલીસ સ્ટેશન, પ્ર.નગર ભક્તિનગર અને માલવિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બદલી

રાજકોટ તા.૧૧: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરના અલગ-અલગ પોલીસ મથક, હેડકવાર્ટર, ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતાં ૨૦ કર્મચારીઓની બદલીનો હુકમ કર્યો છે.

તાલુકાના કોન્સ. અરજણ ઓડેદરાને ટ્રાફિકમાં, પ્ર.નગરના ધારાબેનને આજીડેમ, ટ્રાફિકના અજયભાઇ, કાજલબેન, મયુરધ્યજસિંહને હેડકવાર્ટર, ગાંધીગ્રામ, તાલુકામાં, હેડકવાર્ટરના ઉમેદભાઇને આજીડેમ, ટ્રાિ:કના ચિંતનભાઇને પ્ર.નગર, કલ્પેશભાઇને તાલુકા, હેડકવાર્ટરના શૈલેષગીરીને કુવાડવા, ટ્રાફિકના દિવ્યરાજસિંહને બી-ડિવીઝન, હેડકવાર્ટરના અજયભાઇને એ-ડિવીઝન, અમરદિપસિંહને થોરાળા, ભકિતનગરના કિશનભાઇને તાલુકા, એમટીના રમેશભાઇને બી-ડિવીઝન, ટ્રાફિકના કિશોરભાઇને ભકિતનગર, ભકિતનગરના દિવ્યરાજસિંહને હેડકવાર્ટર, બી-ડિવીઝનના વનરાજસિંહને એમટી, પ્ર.નગરના સામતભાઇને હેડકવાર્ટર મુકવામાં આવ્યા છે. માલવીયાનગરના પીઆઇ રાઇટર એએસઆઇ જાવેદભાઇની પણ બદલી કરવામાં આવી છે.

(1:10 pm IST)