રાજકોટ
News of Tuesday, 11th December 2018

મનહરપુર પૃથ્વીરાજ પાર્કનો સોહિલ ઘરેથી નીકળ્યા બાદ લાપતા

રાજકોટ તા ૧૧ : જામનગર રોડ મનહરપુર-૧ માં પૃથ્વીરાજ પાર્ક શેરી નં.૩ માં રહેતો સોહિલ શહીરભાઇ મુલતાની (ઉ.વ.૧૧) થોડા દિવસો પહેલા પોતાના ઘરેથી નીકળી કાલાવડ રોડ, રાણીટાવર પાસે ગયો હતો ત્યાંથી તે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઇ તપો ન લાગતા તેના પિતના રહીમભાઇએ તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી છે. તેણે ડાબા હાથની કલાઇ ઉપર સિંહ ત્રોફાવેલ છે, તેણે બ્લેક કલરનો શર્ટ અને બ્લ્યુકલરનુ ંજીન્સપેન્ટ પહેરેલ છે જો કોઇને આ યુવાન જોવા મળે તો તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

(3:25 pm IST)